Saturday, November 17, 2018

વિનય શાહે માત્ર 10 હજાર રૂપિયાનો ખર્ચ કરીને આચર્યું 260 Crનું કૌભાંડ, મિલકત વેચીને નહીં થઇ શકે લેણદારોની ચૂકવણી

એકના ડબલ કરવાની લાલચ આપી 260 કરોડનું ફુલેકું ફેરવી નાસી છૂટેલા વિનય શાહ માત્ર 10 હજાર રૂપિયાના ખર્ચે કંપની ઉભી કરીને 260 કરોડનું ફૂલેકું ફેરવ્યું હોવાની વિગતો સામે આવી છે.

    કૌભાંડી વિનય શાહે માત્ર 10 હજાર રૂપિયાનો ખર્ચ કરીને આચર્યું 260 Crનું ફુલેકું
    260 કરોડના સ્કેમ પાછળ વિનય શાહનુ શેતાની ભેજુ કામ કરે છે. વિનય શાહે કંપનીને પ્રાઇવેટ લિમિટેડ બનાવવાના બદલે તેને લિમિટેડ લાયાબિલીટી પાર્ટનરશીપ (એલએલપી) બનાવી હતી. આ કંપની શરૂ કરવા માટે માત્ર 10 હજાર રુપિયાનો ખર્ચ થાય છે, જ્યારે તેની સાથે કંપની જો ફડચામાં જાય તો કંપનીની મિલકત ટાંચમાં લઇ શકાતી નથી. વિનય શાહ હાલ ફરાર છે અને તેની કંપનીમાં ફસાયેલા નાણા લેવા માટે લોકો લાઇન લગાવી રહ્યા છે તેની ઓફિસમાં ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ વિનય શાહ પકડાય તો પણ તેની અંગત મિલકત વેચીને પણ લોકોના નાણાં ચૂકવાશે નહી. વિનય શાહએ 10 હજાર ખર્ચીને 260 કરોડથી વધુનુ ફુલેકુ ફેરવી દીધુ છે. તેની સાથે વિનય શાહને અંદાજ હશે કે તેની કંપની બંધ થઇ જશે તો તેની મિલકત ટાંચમાં લેવાશે જેથી તેણે પહેલાથી જ પોતાની કંપનીમાં જવાબદારી ઓછી રાખવાનો કારશો ઘડી કાઢ્યો હતો.
    વિનય શાહની આર્ચડકેર ડીજીએડ એલએલપી કંપનીમાં ગુજરાતભરમાંથી લોકોએ મોટા રીટર્નની લાલચમાં આવીને રોકાણ કર્યુ હતુ. એક બીજાની ચેઇન ગોઠવીને વિનય શાહે કરોડો રૂપિયા ઉઘરાવી હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. વિનય શાહે પોતાની કંપની રજીસ્ટર છે અને તમારા રૂપિયાનુ તમને ચોક્કસ વળતર મળશે તેવી લાલચ આપીને લોકોને પોતાની કંપનીમાં રોકાણ કરાવ્યુ હતુ. વિનય શાહને અણસાર આવી ગયો હતો કે, ગમે તે સમયે તે લોકોના રૂપિયા ચૂકવી સકશે નહીં અને તેના કારણે તેની પોતાની જવાબદારી આવશે અને કંપનીના પાટીયા પાડી દેવા પડશે તે માટે તેણે પહેલાથી જ પોતાની કંપનીમાં લિમિટેડ લાયાબિલીટી રાખી હતી. જેથી ગમે તે સમયે કંપની ફડચામાં જાય તો તેની મિલકતને કે પોતાને વઘારે નુકશાન થાય નહી. જેથી વિનય શાહ માત્ર 10 હજાર રૂપિયાના ખર્ચમાં બની શકે તેવી એલએલપી કંપની જ બનાવી હતી.

    વિનય શાહ હાલ વોન્ટેડ છે અને તેના લેણદારો ધક્કા ખાઇ રહ્યા છે પરંતુ તેમના લેણદારોને રુપિયા મળવાની સ્થિતી નહિવત છે. કારણકે તેણે પોતાની કપંનીની જવાબદારી ખુબ જ ઓછી રાખી હતી. જેથી વિનય શાહ હવે જ્યારે પોલીસ પકડે કે પોલીસ સમક્ષ હાજર થાય તો પણ પોલીસ તેની મિલકત વેચીને લેણદારોને રકમ પાછી આપશે નહી.

    News Source From Divya Bhaskar Samachar

    વિનય શાહ લિસ્ટિંગ બાદ 10 રૂ.નો શેર 120નો થઇ જવાની લાલચ આપી ખંખેરતો રૂપિયા - ArcherCare 260rs Scam

    * વિનય એક લાખનું રોકાણ કરનારને સોનાનો સિક્કા આપી આંબા-આંબલી બતાવતો.


    * વિદેશ ટ્રીપ કરાવવાની લાલચ આપી પોતાના કરન્ટ એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવડાવતો
    અમદાવાદઃ વિનય શાહ આર્ચરકેર નામની કંપની દ્વારા 260 કરોડની છેતરપિંડી આચરી વિદેશ નાસી છૂટ્યો છે. વિનય શાહે કોઈને સોનાના સિક્કા તો કોઈને દુબઈની ટ્રીપ આપવાનું કઈ હજારો લોકો સાથે છેતરપિંડી આચરી છે. વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે મધ્યમ અને ગરીબ પરિવારોને જ પોતાના ટાર્ગેટ બનાવવાનું નક્કી કર્યું હતું. વિનય કહેતો કે તમે દસ રૂપિયાનો શેર ખરીદો અને કંપની લિસ્ટ થશે ત્યારે 120 રૂપિયા થઈ જશે. આ સમગ્ર પ્રકરણમાં વિનય દર વખતે એક નવી લોભામણી લાલચ આપીને લોકો પાસેથી રૂપિયા ખંખેરી લેતો હતો.
    પૂર્વ વિસ્તારમાં અંદાજે 4500 લોકોની આખી ચેન બનાવી હતી
    વિનય લોકોને આ કંપની રજિસ્ટર્ડ છે અને તમારા રૂપિયા સુરક્ષિત હોવાનું કહી જાળમાં ફસાવતો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અંદાજે 4500 લોકોની આખી ચેન બનાવી હતી.આ ગ્રુપમાં જોડાયેલા લોકોએ જણાવ્યું છે કે વિનય પોતે લોકોને આંબા-આંબલી બતાવી પૈસા રોકવા માટે તૈયાર કરતો હતો. આ માટે તે એક લાખ રૂપિયા ઈન્વેસ્ટ કરનાર લોકોને એક સોનાનો સિક્કો આપતો હતો. આ સિક્કાની સાથે તે સિલેક્ટેડ લોકોને દુબઈ કે બેંગકોકની ટ્રીપ કરાવવાની લાલચ આપી લોકો પાસેથી રૂપિયા પોતાના કરન્ટ એકાઉન્ટમાં જમા કરાવડાવતો હતો.
    બેંકે ટ્રાન્ઝેક્શનની લિમિટ બાંધી હોવાનું જણાવી કમિશન ન આપતો
    જ્યારે લોકો પોતાના ભરેલા રૂપિયાના બદલામાં પોતાનું કમિશન માંગતા ત્યારે તેને કહેતો કે, હાલ બેંક દ્વારા રોજના ટ્રાન્ઝેક્શનની લિમિટ બાંધી દેવામાં આવી છે, અને અહીં બધું જ ઓલ ઈઝ વેલ છે એમ કહી લેણદારોને પોતાની ઓફિસથી રવાના કરી દેતો હતો. આ દરમિયાન વિનયે અમદાવાદથી 250 લોકોને દુબઈ મોકલ્યા હતા. આ ટ્રીપ માટે આખી ફ્લાઇટ પણ બુક કરાવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

    બિફોર લિસ્ટિંગ શેર આપીશું, રૂપિયા કમાવવાની ઉત્તમ તક
    એકવાર વિનયે જીએમડીસી ગ્રાઉન્ડમાં લોકોને ભેગા કરી કહ્યું હતું કે અમે એક નવી કંપની શરૂ કરી રહ્યા છીએ, જે કંપની થોડા સમયમાં પબ્લિક લિમિટેડ થઈ જશે. જેના શેર બહાર પડશે, હાલ તમે આ કંપનીમાં રોકાણ કરો. અમે તમને 10 રૂપિયાના એક એમ ગણતરી કરીને બિફોર લિસ્ટિંગ શેર આપીશું. 

    News Source From Divya Bhaskar Samachar

    260 Crનું ફુલેકું ફેરવનારા વિનય શાહના ઘરેથી લોટના ડબ્બામાંથી પાંચીયા -10ના સિક્કાનું 50 હજારનું ચિલ્લર મળ્યું

    અમદાવાદઃ એકના ડબલ કરવાની લાલચ આપી 260 કરોડનું ફુલેકું ફેરવી નાસી છૂટેલા વિનય શાહ કેસની તપાસમાં રોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ કૌભાંડ મામલે આજે સીઆઇડી ક્રાઇમે તપાસ હાથધરી હતી. જેમાં વિનય શાહના કોટક બેંકમાં અનેક એકાઉન્ટ હોવા અંગે માહિતી મળી હતી. માત્ર એટલું જ નહીં, વિનય શાહના ઘરે તપાસ દરમિયાન લોટના ડબ્બામાં, ફર્નિચર,બેડ અને કબાટમાં સંતડેલા 50 હજાર રૂપિયાનું ચિલ્લર મળી આવ્યું હતું. જેમાં 5 પૈસાથી લઈ 10 રૂપિયાના સિક્કા પણ મળ્યા હતા.



    વિનય શાહની કંપનીની કર્મચારી પૂજા શાહની પણ કરી પૂછપરછ
    આ ઉપરાંત સીઆઇડી ક્રાઇમે વિનય શાહની કંપનીની કર્મચારી પૂજા શાહની પણ પૂછપરછ
    કરી હતી. ઉલ્લેખનીય છે કે, વિનય શાહની વાઇરલ થયેલી સુસાઇડ નોટમાં પણ પૂજા શાહનો ઉલ્લેખ છે.

    50 લાખનો મુદ્દામાલ, 34 કોમ્પ્યુટર, બે લેપટોપ લીધા કબ્જે
    આ દરમિયાન સીઆઇડી ક્રાઇમે વિનય શાહના ઘરેથી 50 લાખનો મુદ્દામાલ ,34 કોમ્પ્યુટર, બે લેપટોપ, એક લાખના સોના-ચાંદીના દાગીના અને 4 સ્વાઇપ મશીન પણ કબ્જે કર્યા હતા.

    News Source From: DivyaBhaskar Samachar

    CID will Strickly Check Vinay Shah's Viral Audio Clip - ArcherCare Ponzi Scam

    News Source from Gujarat Samachar. Published Date:17/11/2018

    ArcherCare Latest News By Gujarat Smachar

    News Source From: Gujarat Smachar. Published Date: 17/11/2018

    CID takes over investigation into Rs 260 crore ArcherCare ponzi scam

    The Gujarat CID (crime) on Thursday took over the investigation into the alleged ArcherCare Ponzi scheme floated by city-based businessman Vinay Shah and his associates, and raided two of his residential premises and an office here. The officials said that they have collected documents, laptops and other gadgets to get information about the case.
    The CID was asked to take over the case from the local Vastrapur police on Wednesday and set up a Special Investigation Team to probe it. On Thursday morning, a team of CID officials reached Vastrapur police station and took over the case papers. They said that three FIRs have been lodged till now by the victims with the police station.
    Police said that Shah had allegedly floated several schemes in which he used to make his investors member by paying an annual amount.

    The members were given login IDs and were asked to watch advertisements onlines. E-wallets were also created which are said to have been linked with their bank accounts. They were promised that by the end of the term, in months and a year, their money would be doubled.
    According to police, the Shah’s company “ArcherCare Digiad LLP” had promised to pay “unrealistic amounts” for watching advertisements.
    The packages started from Rs 4,500 to Rs 25,000 and more and customers were promised that they would be earning from Rs 160 per day by clicking 10 links of the advertisements only. The higher registration fee had higher number links of advertisements like 15 or 20 per day.
    The company’s advertisements mentions, “We focus on helping organisations elevate their brand visibility and reach thousands of potential customers by displaying their ad online.” Another one reads, “VIEWERS Earn up to $100 by just viewing ads.”
    Officials said that just like any other Ponzi scam, members were lured to bring more people as referral would give them bonus. It is estimated that the scam runs into Rs 260 crore and thousands of people have been cheated.
    The case got highlighted after a 11-page note, said to have been left behind by Vinay Shah, has named an IPS officer J K Bhatt and two journalists – Uday Ranjan and Narendrasinh Jadav – having received money from Shah. Bhatt and the two journalists have denied the charges and have filed defamation cases against Shah.
    CID officials said that hours after they took over the case, at least five more people came to them to lodge their complaints alleging they were duped by Shah.

    Friday, November 16, 2018

    CID ક્રાઇમને કૌભાંડી વિનય શાહના ઘરેથી 50 લાખનો મુદ્દામાલ , 34 કોમ્પ્યુ. અને 1 લાખના દાગીના મળ્યા

    એકના ડબલ કરવાની લોભામણી જાહેરાતો આપી 260 કરોડનું ફુલેકું ફેરવી વિનય શાહ ફરાર થઈ ગયો છે, ત્યારે આ કેસની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમે વસ્ત્રાપુર પોલીસ પાસેથી તપાસના તમામ દસ્તાવેજો કબજે કર્યા હતા. ત્યાર બાદ આજે વિનય શાહના પાલડી સ્થિત ઘરે, વર્લ્ડ કલેવરેક્ષ સોલ્યુશન અને આર્ચર કેરની ઓફિસો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સીઆઇડી ક્રાઇમે વિનય શાહના ઘરેથી 50 લાખનો મુદ્દામાલ , 34 કોમ્પ્યુટર, બે લેપટોપ, એક લાખના સોના-ચાંદીના દાગીના અને 4 સ્વાઇપ મશીન કબ્જે કર્યા હતા.

    (હાલ ફરાર થઇ ગયેલા વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહની તસવીર)

    દોઢ વર્ષમાં લેભાગુ 3૦ કંપનીની 1૦૦ કરોડની મિલકતો ટાંચમાં લીધી
    સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. રોકાણકારો લાલચમાં ખોટી જગ્યાએ રોકાણ કરીને ફસાય છે અને ઠગ નાણાં લઈને નાસી જાય છે. ખરેખર જે કંપનીમાં રોકાણ કરો તે કંપનીની તપાસ કરવી જોઈએ, જે રોકાણકાર કરતા નથી. છેલ્લા દોઢેક માસમાં ૩૦ જેટલી કંપનીઓએ દ્વારા આશરે ચારેક લાખ રોકાણકારોના અબજો રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતુ. જેમાં ૧૦૦ કરોડની પ્રોપર્ટી સીઆઈડી ક્રાઈમ દ્વારા ફ્રિઝ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા વખતો-વખત જાહેરાતો કરવામાં આવતી હોવા છતાં રોકાણકારો લોભમાં આવી રીતે રોકાણ કરીને ફસાઈ રહ્યાં છે.

    Original News Source From: Divyabhaskar Samachar